લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા.
બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવે ઉપર આવેલ લાખણી ના રહીશ પિતા પ્રજાપતિ નેમાજી હરધાનજી ને ત્યાં માતા ગીતાબેન ના કુખે તા. ૦૯/૦૧/૧૯૯૯ ના રોજ તેજસ્વી પુત્ર રત્ન જન્મનાર ચેતનભાઈ પ્રજાપતિ મોટો થતા ઉચ્ચ અભ્યાસ સાબરમતી યુનિવર્સિટી ખાતે ઈંગ્લીસ મીડિયમ ગ્રેજ્યુએશન બી.એ. કરતા હતા ત્યારે શ્રીસધી માતાજીમાં આસ્થા ધરાવતા લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો.ત્યારે મોરલ ખાતે ફાર્મ હાઉસ ખાતે બિરાજમાન શ્રી સધી માતાજીની સેવા પૂજા અર્ચના કરતા હતા ત્યારે આજુ બાજુ થી અનેક ભાવિક ભક્તો માતાજીના મંદિરે શીશ નામાવવા આવવા લાગ્યા માતાજીના દર્શન માત્રથી બધી બીમારીઓ દૂર થતા,ભક્તોની મનોકામના પૂર્ણ થતા અનેક લોકોના દુઃખ દૂર થવાની ચર્ચાઈ વાયુવેગે ફેલાતા શ્રદ્ધાંળુઓનો ઘસારો સતત વધવા લાગ્યો અત્યારે દર રવિવારે રાજસ્થાન, રાજકોટ, ભાવનગર,જામનગર,મોરબી, કચ્છ-ભુજ,કાઠિયાવાડ,પુના,મુંબઈ,નવસારી,સુરત, વડોદરા, અમદાવાદ,મહેસાણા,પાલનપુર, બનાસકાંઠા વિસનગર,પાટણ સહીત ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે આવનાર દરેક શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. રવિવાર સિવાય ના આવવું તેમ પરમ પૂજ્ય ધર્મ રત્ન ભુવાજી સી.એન.પ્રજાપતિએ જણાવ્યું હતું
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply