વિશ્વ યોગ દિવસ નિમિત્તે સેવા – બ્લડ ડોનેશન કેમ્પ આયોજક મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું.
પવન એક્સપ્રેસ

પાલનપુરમાં ગાયત્રી બ્લડ બેંક, માં આજે વિશ્વ યોગ દિવસ ના પાવન અવસરે..સ્વામી લીલાશાહ મહારાજને યોગ અતિ પ્રિય હતો. એમણે પણ યોગનો પ્રચાર-પ્રસાર કર્યો. એમની પ્રેરણાથી આજે યોગ દિવસે પાલનપુર સિંધી સમાજ, પાલનપુર ખત્રી સમાજઅને સેવાદારી મિત્રોના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પનું સંચાલન મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું.
કેમ્પ માંપાલનપુર સિંધી સમાજ અને ખત્રી સમાજના ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેટ કર્યું.
કુલ 40+ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું.આ રીતે યોગ દિવસે યોગ સાથે સેવા કાર્ય કરીને તનની સાથે તનદાન નો અમૂલ્ય સંદેશ આપવામાં આવ્યો.
યોગ કરે નિરોગી કાયા, રક્તદાનથી બચે જીવની માયા
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
