બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા આજે ભોજન પ્રસાદ માં બટાકા ચણા અને ભુંગળા નો પ્રસાદ આપવમાં આવેલ.
પવન એક્સપ્રેસ
બજરંગીસેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે બજરંગીસેના સેવા ટ્રસ્ટ નાં સભ્યો અને એક દાંતા શ્રી તરફ થી બટાકા ભોજન પ્રસાદ માટે આપવમાં આવેલ. બજરંગીસેના દર રવીવારે પાલનપુર શહેર માં આવેલ રામલીલા મેદાન. જૈન દાદા વાડી પાસે. જનકપુરી સોસાયટી પાસે. કર્ણાવત સ્કુલ પાસે અને ગોબરી રોડ પર આવેલ પટણી વિસ્તાર માં જઈ ને ગરીબ જરૂરિયાત લોકો અને બાળકો ને ભોજન પુરું પાડવાનું કામ કરે છે. દર રવીવારે આશરે 700 જેટલાં લોકો આં ભોજન પ્રસાદ નો લાભ લે છે. આજ નાં આં સુંદર આયોજન માં બજરંગીસેના નાં દરેક કાર્ય કરતાં ભાઈ ઓ ને પણ પોતાનું બાળપણ અને સ્કુલ નાં દિવસો ની યાદ તાજી થઈ ગઈ હતી. બજરંગીસેના સેવા ટ્રસ્ટ નાં દરેક કાર્ય કરતાં ભાઈઓ ને આજ નાં આયોજન માટે ભગવાન તેમની હર એક મનોકામના પુરી કરે.


Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
