જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે સવારે 3:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. ISRના જણાવ્યા મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવ-થરાદથી 27 કિલોમીટર દૂર નોંધાયું. આંચકા અનુભવાતા આસપાસના વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી અસર જોવા મળી નથી.
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે જાન-માલ નુકસાન થયું નથી. જીલ્લાનું હીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply