વાવ-થરાદના કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ જિલ્લાના 137 અધિકારીને 425 ગામ દત્તક આપ્યા.
કલેક્ટરે અધિકારીઓને પ્રાથમિક શાળા, આંગણવાડી અને પંચાયત ઘરની રૂબરૂ મુલાકાત લેવાની પણ સૂચના આપી.
વાવ-થરાદના કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ જિલ્લાના 137 અધિકારીને 425 ગામ દત્તક આપ્યા છે. આ અભિગમ હેઠળ દરેક અધિકારીને તેમને ફાળવાયેલા ગામની રૂબરૂ મુલાકાત લેવી પડશે. તેમજ ગ્રામજનો સાથે બેઠક કરી પાયાની જરૂરિયાત, શિક્ષણનું સ્તર, આરોગ્ય સુખાકારી અને સ્વચ્છતાની સમીક્ષા કરવાની રહેશે.
સાથે જ કલેક્ટરે અધિકારીઓને પ્રાથમિક શાળા, આંગણવાડી અને પંચાયત ઘરની રૂબરૂ મુલાકાત લઈ ગામની ક્ષતિઓમાં સુધારા માટે પરામર્શ કરવાની પણ સૂચના આપી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
