“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા દ્વારા હેપ્પી લાઇફ,વૃક્ષારોપણ નું જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..
જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ પાલનપુર દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા દ્વારા હેપ્પી લાઇફ ,પોઝિટિવ લાઇફ,ગ્લોબલ વૉર્મિંગ ,વૃક્ષારોપણ વિશે માહિતી આપવામાં આવી. માધવન ઠાકર, વિપુલભાઇ ઠાકર,ડૉ હેમેન્દ્રભાઇ જોશી,પિન્કીબેન ખડાલિયા,જયેશભાઇ સોની દ્વારા ભગવદગીતા વિશે પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા.ભગવદ ગીતા નું નિયમિત વાંચન અને તેના વિચારોના ને જીવનમાં અપનાવા થી જીવનના બધા દુખ દૂર થાય છે. જીવનમાં સુખની અનુભૂતિ થાય છે.આજની મીટિંગ મા “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુકત દિવસ” નિમિતે બધા મિત્રોને ભારત વિકાસ પરિષદ દ્વારા આપેલ જ્યૂટ બેગ આપવામાં આવી.પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવા માટે જણાવામાં આવ્યું. જયેશભાઇ સોની દ્વારા ગ્રુપના આગામી સેવા કાર્યક્રમ વૃક્ષારોપણ અને સ્કૂલ સેવા કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી.આજના કાર્યક્રમ મા હસમુખભાઇ, ધ્રુવ ગુપ્તા,જયેશભાઇ સોની, વિપુલભાઇ, માધવન,પિન્કીબેન ખડાલીયા,હેમેન્દ્રભાઇ ,ડૉ.ભરતભાઇ વૈધ, મહેન્દ્રભાઈ, ડૉ પ્રકાશભાઇ મોદી, રાજુભાઈ, અશોકભાઈ પઢિયાર હાજર રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply