જીવદયા ફાઉન્ડેશન દ્વારા જલોત્રા પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવામાં આવ્યું


તારીખ 14.04.2026 મંગળવાર સવારે પાલનપુર પાસે જલોત્રા થી સીસરાણા જંગલ વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા સ્વ:-હરજીભાઈ હલાઈ
હસ્તે-જસુબેન.આર.પટેલ( યુ .કે )સહયોગ થી કિડિયારું પુરવામાં આવ્યુ કીડી માટે કીડિયારું પૂરવા માં આવ્યું. સૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીને ગોળ, ખાંડ દેશી ઘી, મિક્સ વાળો લોટ ભરીને કીડી માટે કીડિયારું બનાવવામાં આવેછે. કીડીને કીડીયારું પૂરવા થી કરજ ઓછું થાય છે અને સાત પેઢી શ્રીમંત બને છે. નારીયેલના કીડિયારું ના કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે. નારીયેળ ઉપર કાણું પાડી ને કીડિયારું પૂરવામાં આવે છે. બાદમાં વૃક્ષ નીચે બખોલ માં મુકતા કીડીઓ તેની અંદરથી ખોરાક લે છે ,અને ચોમાસા માં વરસાદ થી બચવા આશરો પણ લે છે. વ્યક્તિ ને ભોજન આપી એ તો તે અંદર થી આપણ ને આશીર્વાદ આપે છે , તેવી રીતે જ કીડી ને કણ નાખવામાં આવે તો તે પણ આપણ ને આશીર્વાદ આપે છે. આપણી દરેક
મુશ્કેલી માં એ આપણ ને બચાવે છે. અને કીડી ને કણ નાખવા લઈને એવું પણ કહેવામાં આવે જે લોકો કીડિયારું પૂરતા હોય છે તેમને મૃત્યુ પછી સ્વર્ગ મળેછે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા જલોત્રા થી સીસરાણા જંગલ વિસ્તાર માં કીડિયારું પુરવા નો પ્રોગ્રામ રાખે જીવદયા ફાઉન્ડેશન દ્વારા સ્વ:-હરજીભાઈ હલાઈ
હસ્તે-જસુબેન.આર.પટેલ( યુ .કે ) સહયોગ થી કિડિયારું પુરવામાં આવ્યું આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. દિનેશભાઈ શર્મા સાહેબ. ચેતનભાઇ દરજી. રમેશભાઈ કે. મોદી ઘનશ્યામભાઈ ખત્રી. અશોકભાઈ પરમાર. પરાગભાઈ સ્વામી.. અને સેવાભાઈ મિત્રો સેવા કાર્યમાં સહયોગી બન્યા અને ચૈત્ર માસ ના પુણ્ય ના ભાગીદાર બન્યા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
