ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર નો અભ્યાસવર્ગ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા પાલનપુર માં યોજાયો.
તારીખ ૨૪-૨૫ મેં ના રોજ બે દિવસીય અભ્યાસવર્ગ નું આયોજન પથિકાશ્રમ પાલનપુર ખાતે કરવામાં આવ્યું જેમાં ગુજરાત ,મહારાષ્ટ્ર ,ગોવા રાજ્ય માંથી ૭૮ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા .જેમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી સુરેશજી જૈન ,નેશનલ કન્વીનર-સંસ્કાર મુકેશજી જૈન તેમજ રાષ્ટ્રીય પેટ્રન-સેવા શ્રી એસ એસ મંથાજી ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ ને સંપર્ક-સેવા-સંસ્કાર-
પર્યાવરણ-મહિલા સહભાગિતા જેવા વિષયો પાર સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું .કાર્યક્રમ ને ક્ષેત્રીય અધ્યક્ષ શ્રી એલ આર જાજુજી એ ડિઝાઇન કર્યો અને તેનું સંચાલન ક્ષેત્રીય મહા સચિવ શ્રી વિનોદજી લાઠીયા એ કર્યું.ક્ષેત્રીય જોઈન્ટ સચિવ શ્રી દિનેશભાઇ વોરા એ પ્રાંતીય અધ્યક્ષ શ્રી કમલભાઈ ચંદારાણા અને પ્રાંતીય સચિવ શ્રી વિશ્વેશભાઈ જોશી સાથે રહી સમગ્ર કાર્યશાળા નું વ્યવસ્થિત આયોજન કર્યું .ભારત વિકાસ પરિષદ પાલનપુર ની બંને શાખાના કાર્યકર્તાઓ તમામ સુવિધા પુરી પાડી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply