“વડીલ વિશ્રાન્તી ગ્રૂહ પાલનપુર ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ”
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરને અંગદાન સંકલ્પ દિવસ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. એ નિમિત્તે આજે અંગદાન ટીમ બનાસકાંઠા અને જનસેવા જ પ્રભુ સેવા ગ્રૂપ પાલનપુર ટીમ દ્વારા વડીલ વિશ્રાન્તી ગ્રૂહ ,ઘરડા ઘરની અંદર ઉજવણી કરવામાં આવી.અંગદાન ના પ્રણેતા માનનીય દિલીપભાઈ દેશમુખ વતી આજે સમગ્ર ગુજરાત મા અંગદાન મુહીમ ચલાવવામાં આવે છે. એ અંતર્ગત આજે અંગદાન સંકલ્પ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી અને તમામ લોકોને આ અંગે સમજ આપવામાં આવી. અંગદાનની સંપૂર્ણ માહિતી આપવામાં આવી .આજના કાર્યક્રમ મા કમલેશભાઈ રાજગોર, જયેશભાઇ સોની, અશોકભાઈ પઢિયાર, કુલદીપભાઇ મોદી, વિશાલભાઈ રાવલ ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
