પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે મહિલા સરપંચે ઝેરી પ્રવાહી પી લીધું છે. ગામના અનુ.સમાજના બે વ્યક્તિ ચૂંટણીની અદાવત રાખી ખોટી અરજીઓ કરી સતત માનસિક ત્રાસ આપતા હતા.મહિલાને હાલ સારવાર અર્થે ખસેડાઈ છે.
ચાર વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પરથી રેખાબેન અશોકભાઈ ધાણક સરપંચ તરીકે ચૂંટાયા હતા. ગત સાંજે રેખાબેનએ અચાનક ઝેરી પ્રવાહી પી જતા તેમની તબિયત લથડી પડી હતી.
તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે. રેખાબેનના કહેવા મુજબ ગામના અનુ. સમાજના બે વ્યક્તિએ ચૂંટણીની અદાવત રાખી ખોટી અરજીઓ કરી હતી. અને સતત માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં ગઢ પોલીસ પાલનપુર સિવિલ પહોંચી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply