બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી પરના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો
જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર ઈકબાલગઢ-ખારા માર્ગ બંધ કરાયો
બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી પરના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર ઈકબાલગઢ-ખારા માર્ગ બંધ કરાયો છે. ત્યારે ઇકબાલગઢથી ખારા તરફ જતા ભારે વાહનોને હવેથી ઈકબાલગઢથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થઈ વાયા સરોત્રા-ઘાંટા- બાલુન્દ્રા થઈ ખારા તરફ જવાનું રહેશે. ખારા તરફથી ઈકબાલગઢ તરફ જતા ભારે વાહનોને હવેથી બાલુન્દ્રા ત્રણ રસ્તાથી ઘાંટા થઈ સરોત્રાથી ઈકબાલગઢ તરફ જવાનું રહેશે. જ્યારે રાજસ્થાન તરફથી તેમજ કપાસીયાથી આવતા ભારે વાહનોને હવેથી કપાસિયાથી ઘાંટા થઈ સરોત્રા થઈ
ઈકબાલગઢ તરફ જવાનું રહેશે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply