અમદાવાદથી લંડન જતા વિમાનમાં પાલનપુરના દંપતીનું મોત થયું છે. મૃતક દંપતીની ઓળખ લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર તરીકે થઈ છે.
રમેશભાઈ ઠક્કરનો મૃતદેહ પાલનપુર લાવવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર સિદ્ધપુર ખાતે કરવામાં આવશે. જોકે, લાભુબેન ઠક્કરનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી અને શોધખોળ ચાલુ છે. રમેશભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ , ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ નાગજી દેસાઈ અને મામલતદાર સહિત અનેક અધિકારીઓએ પણ હાજરી આપી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply