“જીંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા “ભય મુકત જીવન,ભય મુકત પરીક્ષા ” કાર્યક્રમ યોજાયો”

“જીંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા “ભય મુકત જીવન,ભય મુકત પરીક્ષા ” કાર્યક્રમ યોજાયો” જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ પાલનપુર અને જીંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા આયોજિત “ભય મુકત જીવન,ભય મુકત પરીક્ષા ” કાર્યક્રમ નું આયોજન આજરોજ 20 /9/ 2025 ના સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત સરદાર કૃષિનગર વિદ્યાલયમાં શાળાના આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ થયો. કાર્યક્રમ ના મુખ્ય વક્તા તરીકે પાલનપુર શહેરના સુપ્રસિદ્ધ ફિઝિશિયન ડૉ. સુરેન્દ્ર ગુપ્તા સાહેબ( રુચિહાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ, પાલનપુર) ડૉ .ધ્રુવ ગુપ્તા(સ્પર્શ કાઉન્સેલિંગ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ), ખૂબ જ નાની ઉંમરમાં ભગવદ ગીતાનું ગહન જ્ઞાન ધરાવતા માધવન વિપુલભાઈ ઠાકર, જયેશભાઈ સોની પ્રમુખશ્રી જનસેવા ગ્રૂપ, પિન્કીબેન ખડાલીયા,વિપુલભાઇ ઠાકર હાજર રહ્યા. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય વ્યક્તિઓ ડિપ્રેશન, ભય , તણાવ વગેરે અનુભવે છે તેમને મોટીવેશન પૂરું પાડ્યું. તેમજ નાના માધવને ભગવદ ગીતા ના આધારે સરસ મજાના સંસ્કૃત ,અંગ્રેજી, અને હિન્દી ભાષામાં બાળકોને જીવનમાં સફળતાના મંત્રો શું છે તે આપ્યા. ડો. સુરેન્દ્ર ગુપ્તા સાહેબ તેમજ ડો. ધ્રુવ ગુપ્તા સાહેબે તરુણાવસ્થાની સમસ્યાઓ તેમજ મોબાઈલનો સાચો અને સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેની સમજ વિદ્યાર્થીઓને આપી. જીવનમાં સ્કિલનું શું મહત્વ છે તે સાહેબે ઉદાહરણ સાથે સમજાવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા ડૉ. સાધના શર્મા એ કર્યું. કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ મિત્રોએ જેહમત ઉઠાવી. કાર્યક્રમના અંતમાં શાળાના સિનિયર શ્રી આર. એન. ગેલોત સાહેબે મહેમાનો આભાર પ્રગટ કર્યો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading