અર્ચના વિદ્યા નિકેતનમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી
15 ઑગસ્ટ, 2025 ના રોજ કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન માં 79મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિના ઉત્સાહ, ઉલ્લાસ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે ભવ્ય રીતે ઉજવાયો. સવારે 8:00 કલાકે કાર્યક્રમની શરૂઆત મધુર પ્રાર્થનાગીતથી થઈ. શાળાના કર્મનિષ્ઠ શિક્ષિકા શ્રીમતી પુનિતાબેન ઝા ના હસ્તે તિરંગા ધ્વજવંદન કરવામાં આવ્યું, જે પછી સમગ્ર પરિસર વંદે માતરમના સ્વરમાં ગુંજી ઉઠ્યું. વિધાર્થીઓએ રંગબેરંગી કાર્યક્રમો દ્વારા સ્વાતંત્ર્યના પવિત્ર પર્વને ઉજવ્યો. દેશભક્તિ ગીતો, કાવ્યગાન, પ્રેરણાદાયી વક્તવ્ય, નૃત્યનાટિકા અને સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન પર આધારિત સુંદર રજૂઆતો દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા. શાળાના આંગણે તિરંગા ઝંડા, ફૂલોની સજાવટથી દેશપ્રેમનો રંગ છલકાતો હતો. યુવા પેઢીએ એકતા, શાંતિ અને પ્રગતિ માટે પ્રતિબદ્ધ રહી દેશને આગળ ધપાવવો જોઈએ.શિક્ષકમંડળે પણ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના જગાવતી પ્રેરણાદાયી વાતો કરી.કાર્યક્રમના અંતે સમગ્ર શાળાએ “જન ગણ મન…” ના ગાન સાથે દેશભક્તિના સ્વર આકાશમાં ગુંજાવ્યા. કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા બહેનો દ્રષ્ટિબેન અને ભારતીબેન દ્વારા કરવામાં આવ્યું તેમજ શાળાના આચાર્યાશ્રી ડૉ.મેઘનાબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન દ્વારા વાતાવરણ દેશભક્તિના રંગોમાં રંગીન કર્યું અને આભારવિધી HOD શ્રી કેવલભાઈ ડાભીએ વ્યક્ત કરી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply