અંબાજી: ચૂંદડીવાળા માતાજીની આરતી કરીને ભક્તોએ ગુરુપુર્ણિમાની ઉજવણી કરી
આજે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુરુ ભક્ત શિષ્યો ગુરુવંદના કરવા ગુરુજીના આશ્રમે જતા હોય છે. ત્યારે અંબાજીમાં છેલ્લા 80 વર્ષથી અન્ન જળ વગર જીવી રહેલા ચૂંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની તેમના પણ હજારો શિષ્યો છે. આજે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુરુ ભક્ત શિષ્યો ગુરુવંદના કરવા ગુરુજીના આશ્રમે જતા હોય છે. ત્યારે અંબાજીમાં છેલ્લા 80 વર્ષથી અન્ન જળ વગર જીવી રહેલા ચૂંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની તેમના પણ હજારો શિષ્યો છે. ચૂંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની છેલ્લા પાંચ વર્ષથી બ્રહ્મલીન થયા છે.તેમની જગ્યાએ તેમના જેવીજ માર્બલની મૂર્તિ બનાવી પ્રાણ પ્રતિસ્થા કરવામાં આવી હતી. હવે ચૂંદડીવાળા માતાજી હયાત ન હોવા છતાં તેમના અનેક શિષ્યો ચૂંદડીવાળા માતાજીની મૂર્તિને જ સાક્ષાત્કાર ગુરુમાની આજે પણ મોટી સંખ્યામાં તેમના શિષ્યો આશીર્વાદ લેવા ચૂંદડીવાળા માતાજીના આશ્રમે પહોંચ્યા હતા. આ સાથે તેમની મૂર્તિમાં ગુરુપૂર્ણિમાને લઇ વિશેષ હોમ હવનને અન્નકૂટ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા. તેમના શિષ્યો તેમની પ્રતિમાને ફૂલ હાર પહેરાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જે ભક્તો તેમના આશ્રમ પર દર્શન કરવા આવે છે.ચૂંદડી વાળા માતાજીને સ્મરણાર્થે તેમના ગુરુભક્તો જણાવી રહ્યા છે કે,ચૂંદડીવાળા માતાજી શરીરથી અમારી સાથે નહિ બાકી તેઓ આત્માથી અમારી સાથે જોડાયેલા છે આ પ્રસંગે તેમની પ્રતિમા આગળ આરતી પણ ઉતારવામાં આવી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply