“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો”
પાલનપુર નિવાસી સુરેશભાઈ શંકરભાઈ નાઈ જેઓ બ્રોકર નો બિઝનેસ કરે છે .તેમનું સેવાભાવી વ્યક્તિત્વ છે તેમના પત્ની વિમળાબેન નાઈ જેવો પોતે સેવાભાવી વ્યક્તિત્વ ધરાવે છે. વિમલાબેન અગાઉ બ્યુટી પાર્લર ના ક્લાસીસ દ્વારા 7000 જેટલી દીકરીઓને રોજગારી મેળવવા માટે મદદરૂપ બન્યા હતા. તેમના વેવાઈ સ્વ.દિનેશભાઈ મકવાણા જેમના અવસાન બાદ તેમના અંગદાન થકી પાંચ લોકોને નવજીવન મળેલું તેમાંથી પ્રેરણા મેળવીને આ દંપતી વિમળાબેન અને સુરેશભાઈ એ અંગદાન સંકલ્પ કરેલ છે .તેમને જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર ના માધ્યમ દ્વારા ગ્રુપના કાઉન્સિલર જયેશભાઈ સોની દ્વારા અંગદાન નું સંકલ્પ પત્ર ભરેલ છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply